રાજકોટ
News of Monday, 27th May 2019

પોલીસમેને ભૂલી પડેલી ૪ વર્ષની બાળાને પરિવાર સુધી પહોંચાડી

કેદારનાથ સોસાયટીમાંથી જંગલેશ્વરમાં પહોંચી ગઇ'તી

રાજકોટઃ ભકિતનગર પોલીસ મથકના કોન્સ. રવિરાજ પટગીર સમન્સની કામગીરી માટે જંગલેશ્વર વિસ્તારમાં ગયા ત્યારે એક બાળકી આટાફેરા કરતી જોવા મળતાં તપાસ કરતાં તેણી ભુલી પડી ગયાની માહિતી મળી હતી. બાળકીએ પોતાનું નામ ભકિત જણાવ્યું હતું. પોલીસમેને બાળકીને તેના વાલી સુધી પહોંચડવા મથામણ શરૂ કરી હતી. દરમિયાન ન્યુ કેદારનાથ સોસાયટીમાંથી આ બાળકીના મામા મળી આવ્યા હતાં જે તેણીને શોધી રહ્યા હતાં. પોલીસ મથકે લાવી ખરાઇ કરી બાળાને તેને સોંપવામાં આવી હતી. કેશોદથી માતા સાથે આ બાળા મામાના ઘરે રાજકોટ આવી હતી અને રમતી રમતી નીકળી જઇ કેદારનાથમાંથી છેક જંગલેશ્વર સુધી પહોંચી ગઇ હતી.

(3:42 pm IST)