લગ્ન બાદ નાની નાની વાતમાં ઝઘડો કરી ખુશ્બુબા જાડેજાને પતિ-સાસરિયાનો ત્રાસ
ગોંડલ રોડ મક્કમ ચોક પાસે રહેતા પતિ કુલદીપસિંહ, સાસુ હર્ષદબા, સસરા રણજીતસિંહ, માસીજી સાસુ દક્ષાબા અને નણંદ યોગેશ્વરીબા સામે ગુનો
રાજકોટ તા. ર૭: ગોંડલ રોડ મકકમ ચોક પાસે સાસરીયુ ધરાવતી મહિલાને ધરતી નાની નાની વાતમાં પતિ, સાસુ, સસરા, માસીજી સાસુ અને નણંદ ઝઘડો કરી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પ્રેમ મંદિર નજીક વિષ્ણુવિહાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતા ખુશ્બુબા કુલદીપસિંહ જાડેજા (ઉ.વ. ૩૯) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલ રોડ મક્કમ ચોક પાસે રહેતા પતિ કુલદીપસિંહ જાડેજા, સાસુ હર્ષદબા જાડેજા, સસરા રણજીતસિંહ ગગુભા જાડેજા, માસીજી સાસુ દક્ષાબા છનુભા સોલંકી અને નણંદ યોગેશ્વરીબા જાડેજાના નામ આપ્યા છે. ખુશ્બુબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ૧૬ વર્ષ પહેલા લગ્ન થયા હતા પોતે દોઢેક વર્ષથી માવતરના ઘરે રહે છે પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે લગ્ન બાદ પતિ તથા સાસુ, સસરા સહિતે સારી રીતે રાખ્યા બાદ સાસરિયાઓ ઘરકામ જેવી નાની નાની વાતમાં ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરતા હતા અને મેણા ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આથી પોતે માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.