રાજકોટ
News of Tuesday, 27th April 2021

ઘરે બેઠા સારવાર લઇ રહેલા દર્દીઓની સમસ્યા દુર કરો : ડો. હેમાંગ વસાવડા

રાજકોટ તા. ૨૭ : કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઇ રહેલા દર્દીઓને જયારે ઓકસીજનની જરૂર પડે છે, ત્યારે તેમના સગાઓને ૧૮ કિ.મી. દુર ઓકસીજન મેળવવા જવુ પડે છે. આ સમસ્યાનો હલ લાવવા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ માંગણી ઉઠાવી છે.તેઓએ જણાવ્યુ છે કે દરેક વોર્ડની વોર્ડ ઓફીસમાં હોમ ટ્રીટમેન્ટવાળા દર્દીઓને ઓકસીજન પુરવઠો પુરો પાડવા વ્યવસ્થા ગોઠવવી જોઇએ. જેથી ફેકટરી પરનો લોડ અને લાઇનો હળવી થઇ શકે.

(3:31 pm IST)