રાજકોટ
News of Tuesday, 27th April 2021

સમરસ કોવીડ હેલ્થ સેન્ટરમાં મળી ઉત્કૃષ્ઠ સારવાર સુવિધા, જીવનભરનું સંભારણું બની રહેશે

૧૮ દિવસની સારવારને અંતે ભાનુભાઈ બાલાસરા થયા કોરોના મુકત

રાજકોટઃ  શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોઈ અને ઓકિસજનનું પ્રમાણ ઘટી જતા મને  તા. ૭ એપ્રિલ ના રોજ સમરસ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં એડમિટ કરાયો, સતત ૧૮ દિવસ સુધી ડોકટરોની અવિરત મહેનતથી  તા. ૨૫ એપ્રિલના દિવસે હું માત્ર કોરોના મુકત નહિ પરંતુ બિલકુલ સ્વસ્થ થઈ વિદાય લઈ રહ્યો છું. આ શબ્દો છે ભાનુભાઇ બાલાસરાના...

મને સમરસ સેન્ટરમાં કોઈ જ મુશ્કેલી પડી નહિ હોવાનું અને ડોકટરોનું સતત મોનીટરીંગ, સારવાર, ભોજન, સફાઈ સહીત દરેક બાબતમાં પૂરતી કાળજી રાખવામાં આવતી હોવાનું ભાનુભાઇ જણાવે છે. ઘરે જતા જતા સમરસનો અનુભવ જીવનભર યાદ રહેશે તેમ ખુશી સાથે જણાવે છે.

(3:26 pm IST)