નિયામક પ્રજાપતિ સામે અર્જુન ખાટરિયાના ગંભીર આક્ષેપો
ડી.આર.ડી.એ. નિયામકના વિરોધમાં કોટડા તાલુકા પંચાયત કચેરી બંધ રાખવાની ચીમકી
રાજકોટ તા.ર૭ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ સામે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ ખૂલ્લો જંગ માંડયો છે. તેઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો તેમજ ભ્રષ્ટાચાર કરતા હોવાનો તેમનો આક્ષેપ છ.ે
અર્જુન ખાટરિયાએ જણાવ્યું છે કે કોટડાસાંગાણી તાલુકા પંચાયતના મિશન મંગલમના કર્મચારી સોનલ વાળા સામેની ફરીયાદોના પગલે તત્કાલીન ડી.ડી.ઓ. જી.ટી.પંડયાએ તેમની બદલી કરેલ. તેમણે ચાર્જપણ છોડી દીધેલ ત્યારબાદ ડી.ડી.ઓ.શ્રી પંડયાની બદલી થઇ જતા નિયામક પ્રજાપતિએ સોનલ વાળાની બદલીનો ઓર્ડર રદ કરેલ પ્રજાપતિની નીતિરીતિ સામે વિધાનસભાના વિપક્ષી નેતા મારફત સરકારમાં રજુઆત કરાશે. તાલુકા પંચાયતના તે કર્મચારીને બદલવામાં ન આવે તો પંચાયતના પદાધિકારીઓ, સરપંચો, હોદ્દેદારો વર્ગ દ્વારા તાલુકા પંચાયત કચેરી બંધ રાખીને વિરોધ નોંધાવાશે.(૬.૧૦)