રાજકોટ
News of Monday, 27th March 2023

જેતપુરના ખારચીયામાં મધ્‍ય પ્રદેશના મહિલાનો આપઘાત

પુત્ર સાથે ચડભડ થતાં પગલુ ભર્યુઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૭: જેતપુરના ખારચીયા ગામે નલિનભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના રમિલાબેન ઉર્ફ મુનીબેન ભારકાભાઇ લુવારીયા (ઉ.વ.૫૫) નામના મહિલાએ ગઇકાલે બપોરે ઝેરી દવા પી લેતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. રમિલાબેનને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. જે પૈકી એક પુત્ર ગઇકાલે વાડીએ ઝઘડો કરી રિસાઇને નીકળી જતાં માઠુ લાગી જવાથી રમિલાબેન (મુનીબેને) આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(5:34 pm IST)