આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કોઠારિયા રોડ પર રામનવમીએ યાત્રા
રાજકોટ તા. ર૭: સનાતન હિન્દુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા તા. ૩૦ ગુરૂવારે રામનવમી નિમિતે કોઠારિયા રોડ વિસ્તારમાં શ્રી રામ જન્મોત્સવ યાત્રા નીકળનાર છે. જેને સંસ્થાના વડા ડો. પ્રવીણભાઇ તોગડિયાએ શુભેચ્છા પાઠવેલ છે.
સંસ્થાના સૌરાષ્ટ્ર વિભાગીય મંત્રી જયંતીભાઇ પટેલના જણાવ્યા મુજબ તે દિવસે સવારે ૯ વાગ્યે શ્રી રામજી મંદિર, જુના ગણેશનગર શેરી નં. ૩ થી યાત્રા નીકળી મુરલીધર ચોક, ડી. કે. પાન ચોક, ધનંજય હોલ, કોઠારિયા ચોકડી, તિરૂપતિ પાણીનો ટાંકો, માટે ચોક (૧૦.૩૦ વાગ્યે), વિવેકાનંદ સ્કુલ, ગોકુલ પાર્ક મેઇન રોડ થઇને બપોરે ૧ર વાગ્યે રણુજા મંદિરે પહોંચશે. બપોરે ૧ વાગ્યે રામજી મંદિર, જુના ગણેશનગર ખાતે ફરાળની વ્યવસ્થા રાખેલ છે. સંસ્થાઓ, નાગરિકોને યાત્રામાં જોડાવાનું આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.