News of Saturday, 27th March 2021
અર્જુન ખાટરિયા પરિવારમાં બધા કોરોનાથી મુકત
રાજકોટ, તા. ર૭ : જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા, તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબેન પિતાજી ઘનશ્યામભાઇ અને દિકરીને બે અઠવાડિયા પહેલા કોરોના પોઝીટીવ આવેલ. ઘનશ્યામભાઇને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. બાકીના સભ્યો હોમકોરોન્ટાઇન હતા. આજેય કોરોનાવાળા ચારેય સભ્યોનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે. બધાની તબિયત સારી છે. અર્જુન ખાટરિયા મંગળવારથી રાબેતા મુજબની પ્રવૃત્તિનો પ્રારંભ કરશે.
(1:06 pm IST)