જીવન બેંક પરિવાર એક દિવસનો પગાર અને વ્યકિતગત યોગદાન મુખ્યમંત્રી રાહતનિધિમાં આપશે
રાજકોટ તા. ર૭: પ્રવર્તમાન કોરોના વાઇરસની મહામારી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર સમગ્ર દેશવાસીઓના સહકાર અને જાગૃતિ સાથે આ સમસ્યાને નાથવા સહ્યારો પુરૂષાર્થ કરી રહ્યા છે. ત્યારે જીવન કોમર્શીયલ કો. ઓપ. બેંકના મેનેજમેન્ટ તથા સમસ્ત કર્મચારી પરિવાર આ જાગૃતિ અભિયાનમાં પોતાનો સાથ પુરાવે છે, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના અનુરોધને જીવન બેંકના સમગ્ર કર્મચારી પરિવાર એક દિવસનો પગાર તથા બોર્ડના ડીરેકટરશ્રીઓ વ્યકિતગત યોગદાન એકઠું કરી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવશે.
સમસ્ત જીવન બેંક પરિવાર, સમગ્ર દેશવાસીઓ તથા બેંકના સભાસદો અને ગ્રાહકોના સ્વાસ્થય માટેની પ્રવર્તમાન કોરોનાની મહામારી સામે લડવાની શકિત આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. તેમ એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.