વી.વી.પી.માં રકતદાન કેમ્પ
રાજકોટ : તા. ર૩ મી માર્ચ શહિદ દિન. શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાયેલ તે દિવસે વર્ષાનું વર્ષ રકતદાન કરી શહાદતોને શ્રધ્ધાંજલી અર્પવા વી.વી.પી. પરિવાર તેમજ કોલેજના એન. એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં ર૦૪ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ મળી કુલ ૬૧ર૦૦ સી.સી. રકતદાન થયેલ. રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ-ફુલપતિ ડો. વિજયભાઇ સીન્ડીકેટ સભ્ય ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. કિરીટભાઇ પાઠક સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશર, આર્કિટેચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જીટીયુ ટેકફેસ્ટ-ર૦૧૯માં વી.વી.પી. ઇલેકટ્રીક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ''હાઉસ ધ ઝોસ''માં એકત્રીત થયેલ રકમ આર્મીના જવાનો માટે અથવા શહેરી વિકાસ માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી મનોજભાઇ અગ્રવાલ સાહેબશ્રીને અર્પણ કરવામાં આવેલ હતી.