રાજકોટ
News of Thursday, 27th January 2022

કોરોનાના આરક્ષણ અંગે ધર્મસ્થાનકોમાં બુસ્ટર ડોઝ મુકાવતા સતીજીઓ

સંઘાણી સંઘના પ્રમુખ અશોકભાઇ કોઠારી સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી

રાજકોટ તા. ર૭ઃ ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના હાલમાં બીરાજીત સંઘાણી, સંપ્રદાય, ગોંડલ સંપ્રદાયના દરેક મહાસતીજીઓને તેમની વયોવૃધ્ધ તથા શારીરીક સ્થિતિ તેમજ ધાર્મીક આસ્થાને ધ્યાનમાં રાખીને દરેક મહાસતીજીઓને તેઓ જયાં બીરાજીત છે ત્યાં તેજ ધર્મસ્થાનકમાં રસી અપાવા માટે ગોંડલ સંઘાણી સંઘના પ્રમુખ અશોકભાઇ કોઠારી તેમજ સંઘાણી સંઘના મંત્રી ગીરીશભાઇ બાવીસી, કમલેશભાઇ સંઘાણી તેમજ નવાગઢ સંઘના મંત્રી જીજ્ઞેશભાઇ વોરાના સહયોગથી બુસ્ટર ડોઝ અપાવેલ.

તેમજ આ બાબતે આરોગ્ય શાખાના ડો. ગોયલ, પરાક્રમસિંહ ઝાલા, પાર્થભાઇ દેસાણી, મીહીરભાઇ ડાંગર, મીનાબેન આહીર, તેમજ પ્રીયાબેન ધામેચાએ સહકારની ભાવનાથી ધાર્મિક મર્યાદાને ધ્યાનમાં રાખીને પૂરતો સહકાર આપવા દરેક ધર્મસ્થાનકમાં
આવીને પૂ. મહાસતીજીઓને બુસ્ટર ડોઝ આપી ઉદાહરણ પૂરૃં પાડેલ છે. તેમ શ્રી સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઇ કોઠારીની યાદી જણાવે છે.

(2:46 pm IST)