News of Wednesday, 27th January 2021
સુત્રાપાડાના વડોદરા ઝાલામાં દાઝી જતાં જશીબેન વાણવીનું મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૨૭: સુત્રાપાડા ગીર તાબેના વડોદરા ઝાલા ગામે રહેતાં જશીબેન માનસીંગભાઇ વાણવી (ઉ.વ.૩૭)નું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જશીબેન સંક્રાંતના દિવસે સવારે અગિયારેક વાગ્યે રસોઇ બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સોમવારે રાતે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ રિક્ષા હંકારવા સાથે કડીયા કામની મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્રી છે. જે મા વિહોણા થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(10:23 am IST)