સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં ભાવેશ કુકડીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત
મુળ ચોટીલાના ભેટસુડાનો કોળી યુવાન રાજકોટ પારિજાત સોસાયટીમાં રૂમ પાર્ટનર સાથે રહેતો હતોઃ માનસિક અસ્વસ્થતાને લીધે પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ
રાજકોટ તા. ૨૬: ચોટીલાના ભેટસુડા ગામના વતની અને હાલ રાજકોટમાં અન્ય રૂપ પાર્ટનર સાથે રહી કોમ્પીટીટીવ પરિક્ષાની તૈયારી કરી રહેલા કોળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રૂડાનગર-૨ સામે પારીજાત સોસાયટીમાં રાધે હોલમાં ત્રીજા માળે અન્ય છાત્રો સાથે રહેતાં ભાવેશ દેવાભાઇ કુકડીયા (ઉ.૨૬) નામના તળપદા કોળી યુવાને ગઇકાલે રૂમમાં છતના હુક સાથે કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇઍમટી ક્રિષ્નાબેને કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના ઍઍસઆઇ ખુશ્બૂબેન આર. કાનાબારે ઘટના સ્થળે પહોîચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ભાવેશ ચોટીલાના ભેટસુડા ગામનો વતની હતો અને અપરિણીત હતો. અભ્યાસ પુરો કર્યા બાદ હાલ દોઢેક વર્ષથી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્ના હતો. કેટલાક દિવસથી તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અને ગુમસુમ રહેતો હોવાનું રૂમ પાર્ટનરોઍ જણાવ્યું હતું. કંટાળીને તણે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણ છે. (૧૪.૬)