News of Thursday, 26th November 2020
મ.ન.પા.માં સંવિધાન દિવસની ઉજવણીઃ સંવિધાન આમુખનું વાંચન કરી શપથ લીધા
રાજકોટ : આજે સંવિધાન દિવસના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૧ કલાકે મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ તેમજ મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ/કર્મચારીઓએ 'સંવિધાન આમુખ'નું વાંચન કરાયું હતું તે વખતની તસ્વીર આ આમુખમાં તમામ અધિકારીઓએ નાગરીકો પ્રત્યે ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ભાવના દાખવી સંવિધાન સભામાં ર૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ આથી આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તેવા શપથ લીધા હતા.
(3:35 pm IST)