રાજકોટ
News of Thursday, 26th November 2020

ગૌ-પૂજન કરી માલધારી દિવસ ઉજવતાં રણજીત મુંધવા

રાજકોટ : આજે ૨૬ નવેમ્બર વિશ્વ માલધારી દિવસના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં અને રાજકોટમાં દર વર્ષે ૫૦૦૦ યુવાનો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવે છે . હાલની પરિસ્થિતિના અનુસંધાને મોકૂફ રાખવા માં આવેલ છે. તેના બદલ ગૌ પૂજાનું આયોજન કરી માલધારી દિવસ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવા માં આવેલ છે. અને વિશ્વને ગાય માતાનુ પુજન કરી સંદેશ સાથે માલધારી દિવસની શુભકામના પાઠવવામાં આવી. તે વખતની તસ્વીર.  આ ઉજવણીમાં રણજિત મૂંધવા મેહુલભાઈ ગમારા રાજુભાઈ ઝુંઝા ભીખાભાઇ પડસારયા કરણભાઈ ગમારા દિલીપભાઈ ગમારા મુકેશભાઈ મૂંધવા રામભાઈ ખીંટ રામભાઇ ચાવડિયા હાજર રહી ઉજવણી કરી હતી. તે વખતની તસ્વીર.

(3:24 pm IST)