રાજકોટ
News of Thursday, 26th November 2020

રાજકોટ - જીલ્લામાં વીકએન્ડ કર્ફયુ નાખવા અંગે હાલ વિચારણા કે નિર્ણય નથી : કલેકટરની સાફ વાત : રાજકોટ શહેર અંગે પોલીસ કમિશ્નર સાથે મંત્રણા બાદ નિર્ણય લેવાશેઃ હાલ રાજકોટમાં પણ આવી કોઈ વિચારણા નથી

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજકોટ જીલ્લામાં વીક એન્ડ કર્ફયુ નાખવા અંગે હાલ કોઈ વિચારણા કરાઈ નથી કે સરકારની કોઈ સુચના પણ નથી : તેમણે જણાવેલ કે રાજકોટ શહેરમાં વીક એન્ડ કર્ફયુ નાખવા અંગે પોલીસ કમિશ્નર સાથે મંત્રણા બાદ નિર્ણય લેવાશે : રાજકોટ શહેરમાં પણ આવું કંઈ હાલ વિચારણામાં નથી : કાલે રાજકોટ જીલ્લાના નોડલ ઓફીસર ડો.રાહુલ ગુપ્તા આવી રહ્યા છે : તેની સાથે કોર કમીટીની બેઠકમાં વિચારણા કરી વિગતો જાહેર કરાશે

(2:35 pm IST)