રાજકોટ
News of Thursday, 26th November 2020

આત્મબળ મજબૂત હોય તો ઝડપથી કોરોના મુકત થઇ શકાયઃ ગૌતમભાઇ

જસદણ કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી સાજા થયા

રાજકોટ તા. ૨૫ : રોગથી વધુ રોગનો ડર મનુષ્ય માટે ઘાતક સાબિત થાય છે, પણ જો મનુષ્યનું આત્મબળ મજબૂત હોય તો કોઈ પણ રોગ પરાસ્ત થઈ જાય, આવા જ મજબૂત મનોબળના વ્યકિત એટલે ગૌતમભાઈ ધાંધલ જેમણે તાજેતરમાં કોરોનાને પરાસ્ત કર્યો છે.

ગૌતમભાઈને ન્યુમોનિયા થવાથી શરીરમાં તાવ અને કળતર થવા લાગ્યા, તેથી તેઓ તુરંત જસદણ કોવિડ કેર સેન્ટરમાં ટેસ્ટ કરાવવા માટે પહોંચી ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા, સ્થાનિક ડોકટરની સૂચના અનુસાર તેમને જસદણ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. પોતાની સારવારના અનુભવને વર્ણવતા ગૌતમભાઈ જણાવે છે કે, ન્યુમોનિયા થવાથી મારી તબિયત ખૂબ જ બગડી ગઈ હતી, તેમાંય મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એ સમયે મેં નક્કી કરી લીધું કે કોરોના થયો તો શું થયું ? આત્મબળ મજબૂત હોય તો કોરોનામુકત પણ થઈજ  શકાય. અને આ આત્મબળને વધુ મજબૂત કર્યું કેર સેન્ટરમાં કાર્યરત ફરજ નિષ્ઠ ડોકટરોએ.

(2:34 pm IST)