ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં મનસુખભાઈએ સૌને પેટ ભરીને હસાવ્યાઃ મોદીજીનું કટઆઉટ બન્યુ આકર્ષણનું કેન્દ્ર
રાજકોટઃ કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે હેતુથી રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું સાસણ ગીરમાં આયોજન કરવામાં આવેલ. પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર વકતવ્ય આપવામાં આવેલ ત્યારે કાર્યકર્તાઓએ પ્રશિક્ષણની સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ હસાયરાનો પણ લાભ લીધો હતો. ખ્યાતનામ હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ હસાયરા અને લોકગીત કાર્યક્રમને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવ, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ માણ્યો હતો. તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આબેહુબ કટઆઉટ કાર્યકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. કાર્યકર્તાઓએ સેલ્ફી પડાવી હતી. શરીરને સુદ્રઢ અને સ્વસ્થ રાખવા માટે વહેલી સવારથી જ કાર્યકર્તા ભાઈ-બહેનો શાખા, વ્યાયામ અને યોગનો લાભ લીધો હતો તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે.