રાજકોટ
News of Tuesday, 26th October 2021

નવાગામ આણંદપરમાં ચારીત્ર્ય પર શંકા કરી અને કરિયાવર બાબતે છાયા ગરનારાને ત્રાસ

પતિ, સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પી લીધીઃ પતિ નવીન, સાસુ ભાનુબેન, સસરા ભગવાનજીભાઇ સામે ગુનો

રાજકોટ તા. ર૬: નવાગામ આણંદપરમાં સાસરીયુ ધરાવતી પરિણીતા પર પતિ ચારીત્ર્ય પર શંકા કરી સાસુ-સસરા કરિયાવર બાબતે મેણા ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ આણંદપર શેરી નં. ર માં પંચાયત ઓફીસની બાજુમાં રહેતી છાયા નવીન ગરનારા (ઉ.વ. ર૭) એ મહિલા પોલીસ મથકમાં નવાગામ આણંદપર શેરી નં. ર રહેતો પતિ નવીન ભગવાનજીભાઇ ગરનારા, સાસુ ભાનુબેન ભગવાનજીભાઇ ગરનારા અને સસરા ભગવાનજીભાઇ ગરનારા સામે ફરિયાદ નોંધાવી છે છાયા ગરનારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના આઠ વર્ષ પહેલા આણંદપરના નવીન ગરનારા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે છેલ્લા ચાર મહિનાથી પતિ, સાસુ અને સસરા અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને 'તું કરીયાવરમાં કશું પણ લાવી નથી' તેમ મેણાટોણા મારતા હતા પોતે ઘરની બહાર કંઇ લેવા માટે નીકળે તો પતિ, સાસુ અને સસરા ચારીત્ર્ય પર શંકા કરી ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને પોતાને પોતાની બહેન કલ્પનાબેનના ઘરે જવાનું હોઇ જેથી પોતાને ઘરે નહીં જવા દેતા આ ત્રાસથી કંટાળી પોતે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી આ અંગે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા એ.એસ.આઇ. આર. એ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)