રાજકોટ
News of Monday, 26th September 2022

‘મન કી બાત' વિથ શકિત કેન્‍દ્ર ટીફીન બેઠક

દર માસના અંતિમ રવીવારે નરેન્‍દ્રભાઈ મોદી ‘મન કી બાત' કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્‍થાપિત કરે છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના બુથમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત' અને ત્‍યારબાદ તમામ શકિતકેન્‍દ્રમાં ટીફીન બેઠકનો  કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી,  સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોંિવંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ભાવનગર શહેર ભાજપ પ્રભારી કશ્‍યપ શુકલ, રાજકોટ જીલ્લા ભાજપ ના પ્રભારી રક્ષાબેન બોળીયા સહિતના વિવિધ બુથમાં ઉપસ્‍થિત રહયા હતા. આ તકે વિક્રમ પુજારા, હીરેન સાપરીયા, જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિહ જાડેજા, પ્રવીણભાઈ મારૂ, શીલ્‍પાબેન જાવીયા સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(4:49 pm IST)