રાજકોટ
News of Monday, 26th September 2022

પધારો માં પધારો... તરસે અમારી આંખલડી તવ દર્શનને કાજ

પ્રથમ નોરતે મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટયા : ઠેરઠેર ઘટ સ્થાપન : મંદિરોને નવા શણગાર

રાજકોટ : આજે આસો સુદ એકમ. નવરાત્રીનો પ્રારંભ થતા જ માતાજીના ભાવિક ભકતોના હૈયા હરખાઇ ઉઠયા છે. માતાજીના મંદિરોને અનેરા શણગાર કરાયા છે. ઘરે ઘરે ગરબો પધરાવી, ઘટ સ્થાપન કરી આજથી નવ નવ દિવસ સુધી માતાજીના ગરબા, પૂજા, પાઠ, સ્તુતિ સહીતની ભકિત અર્ચના કરાશે. રાજકોટના પેલેસરોડ પરના સુપ્રસિધ્ધ શ્રી આશાપુરા માતાજીના મંદિરે પ્રથમ નોરતે જ માં ને વંદના કરવા ઉમટી પડેલ ભાવિકો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

(12:11 pm IST)