રાજકોટ
News of Saturday, 26th September 2020

પંડિત દિનદયાળજીને વંદના

રાજકોટ : પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની ૧૦૪ મી જન્મજયંતીએ રાજકોટના પ.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન ના સંયોજક રાજુભાઇ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને ફુલમાળા દ્વારા ભાવ વંદના કરી શ્રદ્ઘાંજલિ આપવા માં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના કાર્યકર્તાઓ શ્રી જગદીશભાઈ રઘાણી, ભાસ્કરભાઈ ત્રિવેદી, સંજયભાઈ લોટિયા, કિરીટભાઈ ગોરસિયા,દિલેશભાઈ શાહ, પ્રદીપભાઈ માંડાણી, સુરજભાઈ કાચલિયા, મનીષભાઈ શાહ, ભરતભાઈ,જતીન માધાણી, જીગ્નેશ ગોંડલીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)