News of Saturday, 26th September 2020
કોરોના દર્દીના નામ જાહેર કરવા અંગે રાજકોટ કોંગ્રેસની અરજી હાઇકોર્ટે ફગાવી : તંત્રની તરફેણમાં ચૂકાદો
રાજકોટ : મહાનગર પાલિકા દ્વારા કોરોના દર્દીના નામ જાહેર કરવાનું બંધ થતા કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ આ બાબતે નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેની સુનાવણી તાજેતરમાં થઇ જતા હાઇકોર્ટે આ અરજીને ફગાવી દઇ રા.મ.ન.પા.ની તરફેણમાં ચૂકાદો આપ્યાનું લીંગલ વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ
(2:53 pm IST)