News of Saturday, 26th September 2020
ભગીરથ સોસાયટીમાં બાથરૂમમાં પડી જતાં મનિષભાઇ ઢાવરનું મોત
રાજકોટ તા. ૨૬: સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧/૪ના ખુણે રહેતાં મનિષભાઇ સવજીભાઇ ઢાવર (સગર) (ઉ.વ.૩૩) ઘરે બાથરૂમમાં લપસી પડતાં માથામાંઇજા થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ કે. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના હતાં અને ઘરે ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(1:10 pm IST)