રાજકોટ
News of Saturday, 26th September 2020

પૂજારા પ્લોટમાં ફૂટપાથ પરથી અજાણ્યા પુરૂષની લાશ મળી

વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૬: પૂજારા પ્લોટમાં ફૂટપાથ પર અજાણ્યા આશરે ૫૦ વર્ષના પુરૂષની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી ઘનશ્યામભાઇ મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ ભરતસિંહ પી. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મોત બિમારીથી થયાનું ખુલ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:26 am IST)