રાજકોટ નિવૃત મામલતદાર દિનેશ રાડિયાના ધર્મ પત્નીએ કોરોનાને મહાત આપી
(કિશોરરાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૬: રાજકોટના પૂર્વ મામલતદાર દિનેશભાઈ રાડીયા ના ધર્મપત્ની હર્ષિદાબેન રાડીયા ને કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેશન ઉપર રાખ્યા હતા અને ૧૪ દિવસની ઘરમાં જ સારવાર બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા કોરોના ને મહાત આપી પરિવાર સાથે હેપી બર્થ ડે ની ઉજવણી કરી હતી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પૂર્વ મામલતદાર દિનેશભાઈ રાડિયા એ જણાવેલ કે તેમના ધર્મપત્ની હર્ષિદાબેન રાડીયા ને આજથી ૧૪ દિવસ પહેલા કરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આ સમયે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટર નિશિથભાઈ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી હતી તેમજ રાજય સરકારની આરોગ્ય શાખા ની તેમની પણ અનેરી સેવાનો લાભ મળ્યો હતો જેના કારણે સ્વસ્થ બની ગયા હતા અને તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ સમયે જોગાનુજોગ હર્ષિદાબેન રાડીયાનો બર્થ ડે હોય જેથી અમારા સૌ પરિવાર દ્વારા કોરોના ની મહાત આપ્યા બાદ હેપી બર્થ ડે ઉજવ્યો હતો આ પ્રસંગે પુત્ર મૌલિક રાડીયા પુત્રી પરીતા રાડીયા તેમજ રાડીયા પરીવાર હર્ષિદાબેન રાડિયાના હેપી બર્થ ડે નિમિત્ત્।ે તેમના માતૃશ્રીને કોરોના ને મહાત આપીને બહાર આવતા અભિનંદન પાઠવ્યા હતા.