રાજકોટ
News of Saturday, 26th September 2020

આજથી ચાર દિવસ સુધી નારાયણનગર, મોટામૌવા, મુંજકામાં ટેન્કરથી પાણી અપાશે

રાજકોટ, તા.ર૬ : શહેરના કોઠારીયા ફીલ્ટર પ્લાનટ હેઠળના નારાયણનગર-મોટામૌવા અને મુંજકાના વિસ્તારોમાં આજે તા.ર૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી ટેન્ડર મારફત પાણી વિતરણની વ્યવસ્થા મ્યુ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

આ અંગે સીટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત વોટર ઇફ્રાસ્ટ્રકચર લી. દ્વારા તા. ર૬/૯ થી ૩૦ કણકોટ, સીંધાવદર હેડ વર્કસ ખાતે રીપેરીંગ કામો સબબ શટડાઉન લેવામાં આવેલ છે. આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા પાઇપલાઇન પ્રોજેકટ હેઠળના અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોઠારીયા ખાતેના ફીલ્ટર પ્લાન્ટ પરથી પાણી મેળવતા નારાયણનગર, મોટામૌવા, મુંજકાના સમ્બધિત વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવીત થશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વોટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે જેની સંબધિત જાહેર જનતાએ નોંધ લેવી.

(2:52 pm IST)