રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટના રીનુબેન ભાણચંદાણીને મુંબઇમાં પતિ, સાસુ સહિતના સાસુરીનાનો ત્રાસ

પરણીને ગયા ત્યારે જ રસોઇ બાબતે અને નણંદ સીમાએ વિદેશથી વિડીયો કોલીંગ કરી મેણા ટોંણા માર્યાનો આક્ષેપ

રાજકોટ તા ૨૬ :એરપોર્ટ પાસે ઇન્કમટેક્ષ સોસાયટીમાં રહેતી સીંધી પરિણીતાને નજીવી બાબતેમુંબઇમાં રહેતા પતિ,સાસુ,સસરા, શારીરીક માનસીક ત્રાસ આપતા તેમજ વિદેશમાં રહેતી નણંદ વિડીયો કોલીંગ કરી મેણા ટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એરોડ્રામ પાસે ઇન્કમટેક્ષ સોસાયટી તીર્થ ૧૪/૨ માં રહેતા રીનુબેન રાજીવ ભાગચંદાણી (ઉ.વ.૩૪) એમહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કેપોતે પાંચ વર્ષથી ઇન્કમટેક્ષ સોસાયટીમાં રહેતા માતા પિતાના ઘરે રીસામણે છે. પોતાના લગ્ન ૬ વર્ષ પહેલા મુંબઇ અંધેરી (વેસ્ટ) વીરા દેસાઇ રોડ, એવર સાઇન એમ્બેસી નવમો માળ ફલેટ નં. ૯૦૪ માં રહેતો રાજીવ હરીરામ ભાગચંદાણી સાથેથયા હતા. લગ્ન બાદ પોતે સાસરીયામાં પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેવા ગયેલ અને લગ્નનાદિવસેજ પરણીને ગઇ ત્યારેજ મારા સાસુ રીના હરીરામ માગચંદાણીએ તેદિવસે મને કહેલ કે તારી પાસે અડધો કલાકનો સમય છે જલ્દીથી રસોડામાં આવીજા અને હું રસોડામાં જતા સાસુ રીનાએ કહેલ કે બધાના નાસ્તા-રસોઇ તારેજ બનાવવાની છે અને થોડીવારમાં જ મારા સાસુ એ રૂમમાં બોલાવી મારા પીયર પક્ષના તથા સાસરીયા પક્ષના તમામ દાગીના લઇ લીધા હતા અને સસરા હરીરામ લાલચંદ ભાગચંદાણી ઘરમાં નોનવેજ ખાય અને દારૂ પીવે અને બાદ મને મનફાવે તેમ બોલતા અને મને સગા સબંધીના ઘરે જવાની ના પાડી દીધી હતી. અને સાસુ રીના સસરાને મારા વિશે ચડામણી કરતા સસરા હરીરામ લાલચંદ ભાગચંદાણીએ કહ્યું હતું કે ' આને કાઢી મુકો નથી જોઇતી' અને એના બાપના ઘરે જશે એટલે તેનું નાક કપાઇ જશે' તેવા મેણા ટોણા મારતા હતા અને જમવાનું પણ પુરૂ આપતા નહીં પતિ રાજીવ પણ મને પુરતો ટાઇમ આપતો નહીં અને બધીજ વાતમાં ખોટુ બોલતો હતો અને હાલમાં યુ.એસ.એ. ખાતે રહેતી નણંદ સીમા ઉર્ફેે અનીશા સંજયભાઇ હરીયાની પણ વિદેશથી વિડીયો કોલીંગ કરી મનેસતત બેકલાક માનસીક ટોચર કરતા અને છેલ્લે આજથી આશરે પાંચેક વર્ષ પહેલા  હું અમે રહેતા હતા ત્યાં નીચેના ભાગે ગ્રાઉન્ડ ફલોરમાં જીમમાં ગઇત્યારે ત્યાં જીમ બંધ ઓવાથી પોતે ત્યાં બેઠી હતી અને પતિ અને સાસુ ને ખબર પડતા બનેએ મારા ઉપર ખોટી શંકા કરી બીજાજ દિવસે મારી સાસુ રીનાએ ઝઘડો કરી ગાળો આપી મારમારી કાઢી મુકતા પોતે મુંબઇમાંરહેતી બહેનપણીને ફોન કરી તેેને રૈલ્વેસ્ટેશને બોલાવી.આ બાબતની જાત કરી હતી. અને પતિ પણ રેલ્વે સ્ટેશને આવતા તેણે કહેલ કે ' તું ગુસ્સામાં છે તું જતી રહે પછી હું તને તેડી જઇશ' તેમ કહેતા પોતે રાજકોટ ખાતે માવતરે આવી ગઇ હતી અને પતિ આજદિન સુધી તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ કરતા એ.એેસ.આઇ. ગીતાબેન પંડયાએ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)