News of Wednesday, 26th September 2018
ઉદયનગરમાં વિલાસબેન શીંગાળાએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી
પતિ હાર્ડવેરના વેપારીઃ બે સંતાને માતાની છત્રછાંયા ગુમાવી
રાજકોટ તા. ૨૬: મવડી પ્લોટ ઉદયનગર-૧માં વિશાલ કોમ્પલેક્ષમાં રહેતાં લેઉવા પટેલ મહિલા વિલાસબેન મનસુખભાઇ શીંગાળા (ઉ.વ.૩૯)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વિલાસબેનને સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે માલવીયાનગર પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ જે.કે. પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આત્મહત્યા કરનાર વિલાસબેનના પતિને ઘર નજીક બાલમુકુંદ હાર્ડવેર નામે દૂકાન છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા નહિ હોવાનું પોલીસને જણાવાતા તપાસ યથાવત રાખવામાં આવી છે.
(12:01 pm IST)