News of Wednesday, 26th September 2018
રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત :વધુ 5 કેસ પોઝિટિવ
રાજકોટ શહેર અને જિલ્લો સ્વાઇન ફલૂના ભરડામાં આવી ગયો છે રાજકોટમાં સ્વાઇન ફલૂને કેર યથાવત્ રહ્યો છે. વધુ 5 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેની સાથે અત્યારસુધીમાં સ્વાઇનના કુલ 44 કેસ નોંધાઇ ચૂક્યા છે.
રાજકોટ શહેરના 13, રાજકોટ જિલ્લાના 10 તેમજ અન્ય જિલ્લાના 21 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. જેઓ રાજકોટ સારવાર માટે આવ્યા છે.રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે મૃત્યુઆંક 3 થયો છે.
(10:06 pm IST)