રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટમાં રેલી કાઢીને મમતા બેનર્જીના પૂતળાનું દહન

પશ્ચિમ બંગાળના ઇસ્લામપુરાના વિદ્યાર્થી આંદોલનના રાજકોટમાં પડઘા

રાજકોટમાં રેલી કાઢીને મમતા બેનરજીના પૂતળાને બાળવામાં આવ્યા હતું. પશ્ચિમ બંગાળના ઇસ્લામપુરમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની ઘટના સામે આંદોલન છેડયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા.

(7:06 pm IST)