News of Monday, 26th July 2021
ઢેબર રોડ નાગરિક બેંક ચોકથી સેન્ટ્રલ બસ સ્ટેશન રોડને વન-વેમાંથી મુકિત
મ.ન.પા.ના શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાની રજુઆત સફળ
રાજકોટ,તા. ૨૬ : શહેરનાં ઢેબર રોડ નાગરિક બેંક ચોકથી સેન્ટ્રલ બસ સ્ટેશન રોડને વન-વે માંથી પોલીસ કમિશ્નર દ્વારા મુકિત આપવામાં આપતા મ્યુ.કોર્પોરેશન શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાની રજુઆત સફળ થવા પામી છે.આ અંગે સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતુ કે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ આ વન-વે અંગે વિગતવાર રજુઆત કરેલ. જે રજુઆત ધ્યાન પર લઇ, અંતે આ પ્રશ્નને પૂર્ણવિરામ આપી રાજકોટની પ્રજા રાહદારીઓનો પ્રશ્ન હલ થયો.ઘણા સમયથી આ પ્રશ્નથી રાહદારીઓ હેરાન પરેશાન થયા હતા. આ પ્રશ્નનો હલ થતા લોકોએ આનંદની લાગણી વ્યકત કરી. આ પ્રશ્ન હલ કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહજી વાળા રાજકોટના પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલનો આ તકે આધાર માનેલ છે.
(3:01 pm IST)