રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટના ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થશે

રાજકોટઃ શહેરમાં ચારેય દિશાએથી પ્રવેશવા માટેના મુખ્ય રસ્તાઓ એટલે કે પ્રવેશદ્વાર સમા રસ્તાઓ ઉપર રાજકોટમાં પ્રવેશવાની હદ જ્યાંથી શરૂ થાય છે તે સ્થળે વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી રાજકોટની એક અલગ ઓળખ ઉભી થાય તેવા કલાત્મક પ્રવેશદ્વારોનું નિર્માણ મ્યુ. કોર્પોરેશન દ્વારા થઈ રહ્યુ છે. જે અંતર્ગત હવે ગોંડલ રોડ ઉપર ગોંડલ ચોકડી ખાતે રાજકમલ પેટ્રોલ પંપ પાસે, સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થનાર છે જેની ડીઝાઈન ફાઈનલ થઈ ગઈ છે. તસ્વીરમાં આ કલાત્મક પ્રવેશદ્વારની પ્રતિકૃતિ નજરે પડે છે.

(3:26 pm IST)