રાજકોટ
News of Wednesday, 26th June 2019

૧૦ દિ' પહેલા દાઝેલા મોટામવાના નિલમબેન રાડીયાએ દમ તોડયો

રાજકોટ તા.૨૬: મોટામવામાં આવેલા એપાર્ટમેન્ટમાં દશ દિવસ પહેલા દાઝેલા વૃધ્ધાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ મોટા મવા રૂચી બંગલો એપાર્ટમેન્ટમાં ૧૦૨ નંબરના ફલેટમાં પુત્ર વધુ અને પૌત્રી સાથે રહેતા નિલમબેન નારણદાસભાઇ રાડીયા (ઉ.વ.૮૫) દસ દિવસ પહેલા પોતાના ઘરે દાઝી જતા તેને પ્રથમ ખાનગી હોસ્પિટલ ખાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. વૃધ્ધા કયા કારણોસર દાઝી ગયા તે જાણવા તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને રાઇટર રિતેષભાઇ પટેલે તપાસ આદરી છે.

(11:25 am IST)