રાજકોટ
News of Wednesday, 26th June 2019

17મી જુલાઈથી વીજકંપની દ્વારા 1,5 ટનનું એ,સી,આપવાની : શોશ્યલ મીડિયામાં જબરી અફવા :પીજીવીસીએલે કર્યો ખુલાસો

પીજીવીસીએલએ કહ્યું આવી કોઈ યોજના નથી :હશે તો સરકાર જાહેરાત કરશે

રાજકોટ :હાલમાં શોશ્યલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થઇ રહયો છે કે આગામી 17મી જુલાઈથી 10 હાજરમાં 1,5 ટનનું એસી,વીજ કંપની તરફથી આપવામાં આવશે તેના અનુસંધાને વીજ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે આ પ્રકારની કોઈ યોજના હાલ ટકે નથી આ યોજનાની જાહેરાત સરકાર તરફથી થયે જણાવવામાં આવશે આ પ્રકારના મેસેજ પર ધ્યાન નહિ આપવા અંતમાં પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે

(8:47 pm IST)