દડવી સાસરે જવાનું કહી રજીયા બે પુત્ર સાથે નીકળ્યા બાદ લાપત્તા
માલવીયાનગર પોલીસમાં જાણ કરાઇઃ પરિણીતાના મોઢા પર ઓરીના નીશાન છે
રાજકોટ તા. ર૬ : ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં દાદાના ઘરેથી દડવી સાસરે જવાનું કહીને તેના બે પુત્ર સાથે નીકળેલી પરિણીતા લાપત્તા થતા માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.મળતી વિગત મુજબ ખોડીયારનગરમાં દાદાના ઘરે આવેલી રજીયા રહીમભાઇ ડેલા (ઉ.ર૬) ગત તા.રર ના રોજ તેના બે પુત્ર રૂહાન (ઉ.૬) અને રીયાન (ઉ.૩ાા) ને લઇને દડવી સાસરે જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ દડવી સાસરે ન પહોંચતા તેના પતિ અને રાજકોટમાં રહેતા દાદા મુસાભાઇ સહિતના પરિવારજનોએ ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. તેનો કોઇ પત્તો ન લાગતા તેના દાદા મુસાભાઇ ખમીસાભાઇ ધાડાએ માલવીયાનગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા હેડ કોન્સ આર.કે. નાથાણીએ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ પંજાબી ડ્રેસ પહેરેલ છે તેના મોઢા પર ઓરીના નિશાન છે જો કોઇને બે બાળકો અથવા પરિણીતા જોવા મળે તો માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.