News of Tuesday, 26th May 2020
ગણેશનગરના વૃદ્ધ ગોવિંદભાઇ ભાદાભાઈ ચાવડાની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પર રહેતા અલી મોહંમદ નામના પરપ્રાંતીય ભૈયાને પૂછતાછ માટે ઉઠાવી લીધો છે ભૈયાની પત્ની કુદરતી હાજતે જતી ત્યારે વૃદ્ધ ડોકિયાં કરતા હોવાથી હત્યા કર્યાનું અલીનું કથન છે પોલીસે વિસ્તૃત પૂછતાછ હાથ ધરી છે
શહેરના મોરબી રોડ પર ગણેશનગર શેરી ન. 3માં રહેતા અને આ વિસ્તારમાં બારદાનના ગોડાઉનોમાં ચોકીદાર તરીકે કામ કરતા ગોવિંદભાઇ ભાદાભાઈ ચાવડા (ઉંમર 65 )નામના વૃદ્ધ ગઈકાલે ગૂમ થયાં બાદ આજે તેલ મિલ પાછળની બારદાન ગલીમાં પડેલા જુના પડતર બરદાનના ઢગલામાં લાશ મળી હતી
(10:06 pm IST)