રાજકોટ
News of Monday, 25th May 2020

બાર કાઉન્સીલ દ્વારા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૂ.૧૦ લાખ ચુકવવાનો નિર્ણય

રાજકોટ તા. રપ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯રથી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય તેમજ માદગી સહાય સમીતી દ્વારા જરૂરીયાત ધારાશાસ્ત્રીઓને આંશિક માંગદી સહાય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિીલ ઓફ ઇન્ડિયાની માદગી સહાય સમીતીના ચેરમેન દિલીપ કે. પટેલ સભ્ય અનિલ સી.કેલ્લા અને કિશોરકુમાર આર.ત્રિવેદીની મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માદગીસહાય સમીતીમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આશરે ૪૦ ઉપરાંતની માંદગી સહાયની અરજી હાથ પર લેવામાં આવેલ અને જેમાં ૪૦ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કુલ્લે રૂપિયા દસ લાખ ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમજ ૧૧ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ સહાયનું ફંડ અને માદગી સહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલ છે જેમાં મૃત્યુ સહાયના ફંડમાં વેલ્ફેર ફંડ મેમ્બરશીપ ફી રીન્યુઅલ ફી તેમજ વેલ્ફેર ફંડની ટીકીટ દ્વારા ભંડોળ એકઠુ કરવામાં આવે છે.જયારે માંદગીસહાય રૂ. ૪૦ હેઠળની ફી લેવામાં આવે છે અને જેમાં જરૂરીયાત ધારાશાસ્ત્રીઓને  આજીવન ત્રણ વાર માંદગીસહાય આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હક્કદાર બને છે તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં રૂ.૯૦,૦૦૦/- સુધીની માંદગીસહાય આપવામાં આવે છે તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારોને રૂ.૩,પ૦,૦૦૦ ચુકવવામાં આવે છે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા ૩ કરોડ ઉપરાંતની માંદગી સહાય ધારાશાસ્ત્રીઓને ચુકવવામાં આવેલ છે.

(2:47 pm IST)