રાજકોટ
News of Sunday, 26th May 2019

શાસ્ત્રી મેદાનની ફુટપાથ પર સૂતેલી આદિવાસી મહિલાના ૧ વર્ષના બાળકને ઉઠાવી જવાયોઃ હજુ ચાલતા પણ શીખ્યો નથીઃ પ્ર.નગર પોલીસે તપાસ આદરી

રાજકોટઃ શહેરમાં બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાસ્ત્રી મેદાન સામે લાલ બહાદુર શાસ્ત્રી મેદાન સામે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખુણેથી ૧ વર્ષનો હજુ પણ ચાલતા પણ નશી શીખેલ બાળકનું અપહરણ થતા ગુનો નોંધાયો છે.

પ્ર.નગર પોલીસે મમતાબેન જામસીંગ ભુરીયા ( આદિવાસી ) (ઉ.૩પ) ની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.  તા. રર/પ ના રોજ રાત્રે મમતાબેન તેના ત્રણ દિકરા અને એક દિકરી સાથે ફુટપાથ પર સુતા હતા રાત્રે ઉઠીને જોતા પડખામા સુવડાવેલો ૧ વર્ષનો હજુ ચાલતા ન શીખેલો પુત્ર ગાયબ  હતો. શોધખોળ બાદ પોલીસને જાણ કરતા ફરિયાદ  નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:16 am IST)