News of Saturday, 26th May 2018
ભવાનીનગરમાં સોરઠીયા પ્રજાપતિ સુરેશભાઇનું બેભાન હાલતમાં મોત
રાજકોટ તા. ૨૬: મવડી ચોકડી પાસે ભવાનીનગર-૨૫માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ સુરેશભાઇ કાનજીભાઇ ચોૈહાણ (ઉ.૫૪)ને રાત્રે દોઢેક વાગ્યે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સુરેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે જ્યોતિ સીએનસીમાં નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)
(12:43 pm IST)