રાજકોટ
News of Monday, 26th April 2021

કોરોના બાદ થતાં મ્યુકોરમાયકોસીસ ફંગલ ઇન્ફેકશન વિશે માહિતી આપતા ઇએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કર

નાક અને સાઇનસથી લઇ મગજ, ફેફસા અને આખા શરીરમાં ફેલાતો રોગ ફંગલ મ્યુકોરમાયકોસીસ

હાલમાં જયારે કોરોનાનો કાળો કહેર ચાલુ છે તેવામાં નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેકશન મ્યુકોરમાયકોસીસના કેસોમાં ખૂબજ વધારો જોવા મળ્યો છે.આ એક ગંભીર રોગ છે જેમાં ખાસ કરીને કોરોનાના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.દર્દીને તાવ આવવો.નાક બંધ થઈ જવું નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું  માથું દુખવું. આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો. આંખની આસપાસ અને મોઢા ની ચામડી કાળી પડવી.કફ થવો.જયારે ફંગલ ઇન્ફેકશન મગજ સુધી પહોંચે છે ત્યારે આંચકી આવવી પેરાલિસિસનો નો એટેક આવવો વિ .અને જયારે ફેફસામાં ફંગલ ઇન્ફેકશન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી વિ. આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેકશન છે.આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે ત્યારે અંધાપો આવી શકે છે. અને ૫૦થી ૯૦% કેસોમાં દર્દી નું મૃત્યુ થાય છે.

નિદાન માટે દરદીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગળ કલ્ચર કરવામાં આવે છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સીટી સ્કેન કરવામાં આવે છે.સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે.દર્દીને એન્ટી ફંગલ દવાઓ જેવી કે  inj amphotericin B.inj isavuconazole.inj posaconazole .વિ લાંબો સમય આપવા પડે છે.જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શકિત ખુબજ ઓછી છે તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવા ની શકયતા ખુજ જ વધારે હોય છે.જેથી ખુબજ ધ્યાન રાખવું અને ઉપરોકત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોકટરની સલાહ લેવી.કારણ કે આ ફંગલ ઇન્ફેકશન  ખુબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે.જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે.

ઠક્કર હોસ્પિટલમાં આધુનિક સાધનો વડે કાન નાક તથા ગળાના રોગોની તમામ સારવાર અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.

હોસ્પિટલનું સરનામું ડો.ઠક્કરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલ ૨૦૨ લાઇફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. મો ૭૯૯૦૧ ૫૩૭૯૩.

(3:04 pm IST)