રાજકોટ
News of Friday, 26th April 2019

કિશાનપરા વિસ્‍તારમાં પાણી ચોરી ઝડપાઇ : ૪ મકાન ધારકોને આઠ હજારનો દંડ ફટકારાયો

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા મ્‍યુ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્‍શન અને ડાયરેક્‍ટ પમ્‍પીંગનાં કિસ્‍સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૭ની ટીમ દ્વારા શહેરમાં કિશાનપરા વિસ્‍તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્‍યાન ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા ૪ આસામીઓ પાસેથી બબ્‍બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૮,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.  જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્‍યા છે તેમાં પાણીનો બગાડ કરનાર શ્રી રાજેશભાઈ હંસરાજ, કિશાનપરા-૯, શ્રી બાબુભાઈ નારણભાઈ, કિશાનપરા-૩/૯, શ્રી ધનજીભાઈ ડાભી, કિશાનપરા-૩, શ્રી ઈબ્રાહીમભાઈ, કિશાનપરા-૫ વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્‍વયે વોર્ડ નં.૭માં ટીમ લીડર કાશ્‍મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાન્‍દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. તેમ મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

(4:18 pm IST)