ગુરૂદેવના સંકલ્પ ‘યહાં કે લોગો કી આંખ કી જયોતિ કે લીયે મુઝે કુછ કરના હૈ' ને સાકાર કરવા
પૂ. રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા આફ્રિકામાં સુપર મેગા નેત્રયજ્ઞ
રાજકોટ : પૂ. સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજીબાપુએ વર્ષો પહેલા આફ્રિકાની મુલાકાત દરમિયાન ત્યાંની ગરીબી જોઇને સંકલ્પ કરેલ કે ‘યહાં કે લોગો કે લીયે મુજે કુછ કરના હૈ, યહાં કે ગરીબ લોકો કે આંખ કી જયોતિ કે લીયે મુઝે નેત્રયજ્ઞ કરના હૈ'. તેમના આ સંકલ્પને સાર્થક કરવા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા તાજેતરમાં આફ્રિકાના કેન્યા, નેરોબી વિસ્તારમાં સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરાયુ હતુ. આફ્રિકાના અતિ પછાત, ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે યોજાયેલ આ નેત્રયજ્ઞમાં બહોળી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી સહીતની ટીમ દ્વારા આફ્રિકામાં કરાયેલ આ કેમ્પ દરમિયાન દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-નાસ્તો, દવા ટીપા, નેત્રમણી વગેરે સુવિધા વિનામુલ્યે અપાઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.