રાજકોટ
News of Friday, 26th April 2019

થોરાળા અને ઠક્કરબાપા વાસમાં વાલ્મિકી યુવાન અને પ્રૌઢના બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૬: બેભાન હાલતમાં વાલ્મિકી યુવાન અને સફાઇ કામદાર પ્રૌઢના મોત નિપજ્યા હતાં.

થોરાળા-૩માં રહેતાં અલ્પેશ વજુભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૫)ને ટીબીની બિમારી હોઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તે છુટક મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં  શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં ઠક્કરબાપા હરિજનવાસ-૨માં રહેતાં કબીરભાઇ કેશાભાઇ પાટડીયા (વાલ્મિકી) (ઉ.૫૫) શ્વાસની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક મ્યુ. કોર્પોરેશનમાં સફાઇ કામદાર હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

(3:30 pm IST)