રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટથી પગપાળા દાહોદ - ગોધરા જતા મજૂરોને રોકી રખાયા : મોડી રાત્રે કાર્યવાહી

જાણ થતા પ્રાંત - પોલીસની ટીમો દોડી ગઇ : કુલ ૬૦૦ મજૂરો : રાત્રે જમવા - સૂવાની વ્યવસ્થા કરાઇ : કીટ આપી રવાના કરવા અંગે ૧૦ બસો મંગાઇ

રાજકોટ તા. ૨૬ : રાજકોટથી મોડી રાત્રે પગપાળા, દાહોદ, ગોધરા તરફ ૩૦૦ મજૂરો પરિવાર સાથે નાના બાળકો સાથે જઇ રહ્યાનું બહાર આવતા જ મોડી રાત્રે ૪ સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલ અને પોલીસની ટીમો દોડી ગઇ હતી અને સમજાવટ કરી તમામને વાહનો મારફત પરત લવાયા હતા તથા રાત્રે જમવા - સૂવાની વ્યવસ્થા કરી અપાઇ હતી.

દરમિયાન આજે સંપૂર્ણ કીટ આપી ૧૦થી વધુ બસો મારફત રવાના કરાય તેવી શકયતા છે, આ માટે ઉચ્ચ લેવલે મંજૂરી માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(4:15 pm IST)