રાજકોટ
News of Thursday, 26th March 2020

કોંગ્રેસ ના કોર્પોરેટરોએ મુખ્‍યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્‍યું યોગદાન

કોરોના સામેની લડાઈમાં કોંગી કોર્પોરેટરોએ રૂા.૪.૫૦ લાખ ફંડમાં આપ્‍યાની અશોકભાઈ ડાંગર અને વશરામભાઈ સાગઠીયાની જાહેરાત

રાજકોટ,તા.૨૬: કોરોના વાઇરસ અંતર્ગત રાજકોટ કોંગ્રેસના ૩૦ કોર્પોરેટરોએ માર્ચ ૨૦૨૦ માસનું માનદ વેતન મુખ્‍યમંત્રી રાહતનિધી ફંડમાં આપવાનો નિર્ણય કરાવામાં આવ્‍યો છે . તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ  જાહેરાત કરેલ છે કે, રાજકોટ શહેરમાં કોરોના વાઈરસ કોવીડ-૧૯ ના પ્રકોપથી શહેરના નાગરિકોના રક્ષણ માટે વિવિધ આવકારદાયક પગલાઓ હાથ ધરવામાં આવી રહેલા છે તે પગલાઓ અને કામગીરીને વધુ પ્રોત્‍સાહક રીતે હાથ ધરવા અને શહેરની સર્વાંગી રક્ષણના ઉમદા હેતુસર તાકીદના ધોરણે કામગીરી થાય તેથી જાહેર આરોગ્‍યને મદદરૂપ થવા માટે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોનું માર્ચ-૨૦૨૦નું માનદવેતન મુખ્‍યમંત્રી રાહતનિધિ ફંડમાં યોગદાન આપવામાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, સીમ્‍મીબેન જાદવ, રેખાબેન ગજેરા, મનસુખભાઈ કાલરીયા, ઘનશ્‍યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી, ઉર્વશીબા જાડેજા, ડો.ઉર્વશીબેન પટેલ, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, માસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, સ્‍નેહાબેન દવે, રસીલાબેન ગરૈયા, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, દ્યનશ્‍યામસિંહ નટુભા જાડેજા, મેનાબેન જાદવ, જયંતીભાઈ બુટાણી અને નિર્મળભાઈ મારુંએ માનદવેતન આપેલ છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની  યાદી જણાવે છે.

(1:55 pm IST)