રવિવારે ચેમ્બરનું સ્નેહમિલનઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે
વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી હસ્તીઓનું સન્માન પણ થશે
રાજકોટ,તા.૨૬: વેપાર-ઉદ્યોગના વરિષ્ઠ અને ૬૫ વર્ષ જુની મહાજન સંસ્થા 'રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી'ના વિશાળ સભ્ય પરીવારનું સ્નેહ મિલન, સંગીત સંધ્યા અને સ્વરૂચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું તા.૧/૩/૨૦૨૦, રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃધ્ધિ વધારવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા અતિથિવિશેષ તરીકે સાંસદ સભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા, કેબીનેટ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મ્યુ.ફા.બોર્ડના ચેરમેનશ્રી તથા મેયરશ્રી તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.રાજકોટ ચેમ્બરનાં સભ્યોએ પોતાના પાસ મેળવવાના બાકી હોય તેઓએ તુરંત ચેમ્બરની ઓફિસેથી મેળવી લેવા. આ કાર્યક્રમનો લાભ લેવા સભ્યોને અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.