રાજકોટ
News of Monday, 26th February 2018

ગંજીવાડાના લાભુબેન કોળીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૬: ગંજીવાડા મહાકાળી ચોક શેરી નં. ૬૦માં રહેતાં લાભુબેન જગદીશભાઇ દાદુકીયા (કોળી) (ઉ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની બિમારીથી મોત થયાનું પરિવારજનોએ કહ્યું હતું. થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. ગઢવીએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(12:54 pm IST)