ઘંટેશ્વર પાસે આશાપુરા રેસિડેન્સીમાં કોલેજીયન છાત્ર મહિપાલસિંહનો ગળાફાંસો ખાઇ આપઘાત
મુળ રાજસ્થાનના વતની યુવાને શા માટે પગલુ ભર્યુ તેનું કારણ અકળ
રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન એવન્યુ સામે આશાપુરા રેસિડેન્સીમાં રહેતાં અને ઘરે બેઠા કોલેજમાં અભ્યાસ કરતાં મહિપાલસિંહ સોહનસિંહ ચોૈહાણ (ઉ.વ.૧૮) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહિપાલસિંહ બે બહેન અને ચાર ભાઇમાં ત્રીજો હતો. તેના પિતા સોહનસિંહ ચોૈહાણ પ્રાઇવેટ નોકરી કરે છે. આ પરિવાર મુળ રાજસ્થાનનો વતની છે. જો કે વર્ષોથી રાજકોટ રહે છે. મહિપાલસિંહે આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પીએસઆઇ વી. એન. બોદરે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.