શ્રીનાથજી સોસાયટીના દિવ્યાંગ આરટીઓ એજન્ટ પરેશભાઇએ રીબડા પાસે ઝેર પીધું
સારવાર હેઠળઃ એક મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા છેઃ પત્નિને ગુંદાસરા માતા-પિતાની ઘરે મુકી પગલુ ભર્યુઃ કોઇ પૈસા લઇ ગયાનું રટણ કર્યુ હતું: ભાનમાં આવે તેની જોવાતી રાહ
રાજકોટ તા. ૨૫: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૪માં રહેતાં અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં દિવ્યાંગ પરેશભાઇ જીતુભાઇ ગોસ્વામી (ઉ.વ.૪૮)એ ગત સાંજે રીબડા ચોકડી નજીક ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
પરેશભાઇ બેભાન હોઇ તેમણે પગલુ શા માટે ભર્યુ તે જાણી શકાયું નથી. પણ તેમના પત્નિ ભાવનાબેને કહ્યુ઼ હતું કે હોસ્પિટલે ખસેડતી વખતે તેમણે કોઇ પૈસા લઇ ગયાનું ત્રુટક અવાજે કહ્યું હતું. એક મહિના પહેલા જ પરેશભાઇએ ભાવનાબેન સાથે બીજા લગ્ન કર્યા છે. તેણી પણ દિવ્યાંગ છે. ગઇકાલે પરેશભાઇએ પત્નિને પોતાના માતા-પિતા પાસે ગુંદાસરા ગામે મુકીને પોતે હમણા આવે છે તેમ કહીને નીકળ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. તે ભાનમાં આવ્યે ગોંડલ તાલુકા પોલીસ તપાસ કરશે.